July 8th 2021

પવિત્રકૃપાળુ સાંઇ

.**ஸ்ரீ சாய் சத்சரிதம் - Google Play પર ઍપ્લિકેશનો**

.        .પવિત્રકૃપાળુ સાંઇ

તાઃ૮/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ          

પવિત્રભક્તિની પ્રેરણા શંકરભગવાને કરી,જે શ્રીસાંઇને શેરડી લાવી જાય
માનવદેહને આંગળી ચીંધી પવિત્રધર્મની,જે શ્રધ્ધાસબુરીથી જીવનેસમજાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
પવિત્ર પુજ્ય સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિંદુમુસ્લીમને ધર્મથી દુર રહેવાય
અવનીપર અનેકદેહથી જન્મમળે જીવને,સમયસાથે ચાલતા પ્રભુનીકૃપા થાય 
સાંઇબાબા એ સમયે શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય 
મળેલદેહને આંગળી ચીંધી બાબાએ,જે જન્મમળતા પાવનરાહે જીવનજીવાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય,પણ મળેલમાનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવનેસંબંધ પ્રાણીપશુજાનવરપક્ષી,અંતે માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
પરમાત્મા એ લીધેલદેહ ભારતની ધરતીપર,શ્રી ભોલેનાથએ પ્રભુનીકૃપા કહેવાય 
સાંઇબાબાએ ભોલેનાથનીજ કૃપા,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથીજ પુંજા કરાય
...અવનીપર ધર્મએ સમયનીસાંકળછે,જે નિખાલસ ભાવનાથી જન્મ મળતા દેખાય.
#################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment