ના આશા ના અપેક્ષા
. .ના આશા ના અપેક્ષા તાઃ૨૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં પરમાત્માની કૃપા થાય નિર્મળરાહે જીવનજીવવા ભુતકાળને ભુલીને,આવતીકાલને સમજીને ચલાય ....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય. જગતપર પરમાત્માની પાવનકૃપા મળે,જે અનેકદેહથી જન્મલઈ આવી જાય હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતપર,જે પરમાત્માના દેહથી જીવને સમજાય મળેલ દેહને પ્રેરણા કરી જીવનમાં,કે ના આશા કે ના અપેક્ષા કદીય રખાય એજ રાહે જીવન જીવતા માનવીને પ્રભુની કૃપાએ,જીવનમાં સુખ મળી જાય ....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય. જીવને અવનીપર જન્મથી દેહમળે,અનેકદેહમાં માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય અવનીપર જન્મ મળતા માનવદેહને,ઉંમરથી બાળપણજુવાનીધડપણ મળીજાય નાકોઇ દેહથી સમયને પકડાય જીવનમાં,સમય સમજીને ચાલતા કૃપા મેળવાય આવતીકાલ એજ પ્રેરણાછે પરમાત્માની,જે પ્રભુની પુંજાકરતા દેહને મળી જાય ....એ જીવને મળેલદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે આગમનવિદાય આપી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++