July 29th 2021
. .પવિત્રપ્રેમની કેડી
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
પાવનરાહ મળેદેહને જીવનમાં,જે પવિત્રપ્રેમની રાહ આપી જાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
અનેકદેહનોસંબંધ જીવનેજન્મથી,માનવદેહ એપ્રભુની કૃપાકહેવાય
અવનીના પરનુ આગમન એકર્મનોસંબંધ,જે દેહ મળતા સમજાય
મળેલદેહના જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા,એ ભક્તિથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા એ દેહનેમળે,એ માનવદેહથી પવિત્રકર્મ કરાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રજીવનની આંગળી ચીંધી,એ માનવદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવનુ આગમન,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
શ્રધ્ધાનો સંબંધએ ભક્તિથીમળે,જે પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
=========================================================
No comments yet.