December 25th 2022

પરમાત્માની પવિત્રકૃપા

 ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માટે ગણાય છે આ સૌથી ઉત્તમ સમય
.            પરમાત્માની પવિત્રકૃપા

તાઃ૨૫/૧૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇ દેહથી કદી દુર રહીને જવાય
એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે જીવનાદેહને સમયેજ સમજાઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે મળેલદેહને,જે સમયે જીવને થયેલકર્મથી સમજાય
લાગણી મોહની કેડી સમયેજ મળે દેહને,એ કળીયુગની કેડીથી પકડીને ચલાય
નાજીવનમાં કોઇજ પ્રેરણા મળે દેહને,પ્રભુની કૃપાએ જીવને મુક્તિજ મળીજાય
શ્રધ્ધારાખીને જીવને સમયે મળેલમાનવદેહને,ભગવાનની ભક્તિનીરાહ મેળવાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
અવનીપર જીવને આગમનમળે દેહથી,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જે પવિત્ર ભગવાનની કૃપાએ સમજાય
જીવને પવિત્ર દેહ મળે જગતપર,જે ક્ળીયુગની અનેક તકલીફથીય બચાવી જાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણા ભારતદેહથી મળી,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
###################################################################