June 27th 2023
***
****
. કળીયુગની માયા
તાઃ૨૭/૬/૨૦૨૩ પ્રદીપ બહ્મભટ્ટ
કુદરતની આ અદભુતલીલા કહેવાય,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને અવનીપર સમયે જ્ન્મથી માનવદેહ મળે,એ કળીયુગનીકેડીએ ચાલીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
મળેલ માનવદેહ એ ભુતકાળને ભુલી જાય,એજન્મથી મળેલદેહને કર્મકરાવી જાય
જીવને ભગવાનની કૃપાએ સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર કુદરતની આ પવિત્રલીલા કહેવાય,એ મળેલમાનવદેહને સમયે સમજાય
નામોહ માયાની કોઇઅપેક્ષા મળેલદેહનેરહે,પ્રભુની પવિત્રક્રુપાએ સુખ મળી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
સમય સમજીને જીવતા જીવના માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણા મળતી જાય
સતયુગ કળીયુગનીકેડી સમયે અવનીપરમળે,જે જીવને જન્મમરણનો સાથમળીજાય
પરમાત્માની પાવનકૃપા મળેલદેહને સમયસાથે લઈજાય,નાકોઇ અપેક્ષા અડી જાય
જીવને ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જે દેહને ગતજન્મના દેહનાકર્મથી અડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,જે મળેલદેહને કર્મનીરાહ આપી જાય.
#######################################################################