મન,તનનો મેળાપ
મન,તનનો મેળાપ
તાઃ૧૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનન કરુ હું મનથી,ને રટણ કરુ હું તનથી
ભક્તિ કરુ તનમનથી,ને મુક્તિ ઝંખુ દેહથી
……….મનન કરુ હું મનથી.
અતુટકૃપા અવિનાશીની,દીધો આ માનવદેહ
માર્ગ મુક્તિનો જોયો જ્યાં,મળ્યો સંતનો સ્નેહ
ભક્તિની એકલકીર મને,માબાપથી મળી ગઇ
શ્રધ્ધા રાખી સેવા પર,ત્યાં પ્રભુ કૃપામળીગઇ
……….મનન કરુ હું મનથી.
પિતાપુત્રનો નાતો જગમાં,પરમાત્માથી થાય
પ્રભુનો પિતા પ્રેમમળે ત્યાં,સંતાન છે હરખાય
જીવથી નાની ભુલ થતાં,એપ્રભુથી સમજાવાય
મનથી જ્યારે મનાય,ત્યાં તનથી એછે વર્તાય
………મનન કરુ હું મનથી.
જગત પ્રભુની લીલા છે,જે તનમનથી સમજાય
જન્મ મળે અવનીએ જ્યાં,ત્યાં વર્તનથી દેખાય
જન્મમરણએ અતુટતાંતણો,છે મનતનનો મેળાપ
કૃપાળુની કૃપા અનેરી,જીવથી ભક્તિએજ લેવાય
………..મનન કરુ હું મનથી.
=============================