July 26th 2021
. .અજબ કૃપાળુ
તાઃ૨૬/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,જીવનમાં અનેક અનુભવ થાય
કુદરતની આલીલા જગતપર પ્રસરીરહી,જે મળેલદેહને સમયે મળતીજાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જન્મમળતા દેહનેકર્મ મળે જે જીવને,અવનીપર આવનજાવન આપી જાય
જીવને અનેકદેહનો સંબંધજન્મથી,પણ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની ભક્તિ કરતાજ માનવદેહપર,પરમાત્માની પાવનક્રૃપા થઈ જાય
જગતમાં અજબકૃપાળુ પરમાત્મા છે,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
જીવને મળેલદેહ જન્મથી લાવી જાય,જે સમયસમજીને ચાલતા અનુભવાય
કુદરતની પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરાય
આંગણેઆવી કૃપામળે પ્રભુની જીવનમાં,જ્યાં ઘરમાં પરમાત્માને વંદનથાય
મળેલદેહના જીવનમાં નાકોઇ અપ્રેક્ષારખાય,કે નાકોઇ માગણી પણ રખાય
....અવનીપર જીવનુ આગમન દેહથી થાય,જે ગતજન્મના કર્મથી મળી જાય.
============================================================
No comments yet.