August 11th 2022
. પવિત્ર રક્ષાબંધન
તાઃ૧૮/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં પવિત્ર તહેવાર આપી જાય
મળેલ માનવદેહને જીંવનમાં સમયે પ્રસંગ મળી જાય,જે શ્રાવણમાસનો પ્રેમમળી જાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
હિન્દુધર્મમાં રક્ષાબંધનનો તહેવાર પવિત્રપ્રસંગ છે,જેમાં ભાઈને હાથેજ્ રાખડી બંધાયે
બહેનનો એ પવિત્રપ્રેમજ કહેવાય પરિવારમાં,જે ભાઈને જીવનમાં મળવા આવી જાય
રાખડી બાંધી ભાઈને વ્હાલ કરે જીવનમાં,એ નાકદી ઉંમરને દેહથી કદી દુર રહેવાય
નિખાલસપ્રેમથી જીવનમાં પભુકૃપાએ ભાઈ જન્મીજાય,જે ધર્મની પવિત્ર કૃપા કહેવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
ભાઈબહેનનો સંબંધમળે માનવપરિવારમાં,જે માબાપનોપવિત્રપ્રેમ જીવને દેહઆપીજાય
પરમાત્માની પવિત્રલીલા જગતમાં,જે ભારતદેશને પવિત્ર હિન્દુધર્મથી પવિત્ર કરી જાય
જીવને સમયે પવિત્ર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મનો સંબધકહેવાય
ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે પરિવારમાં,જે હિન્દુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
હિન્દુધરમાં પવિત્રકૃપા છે પ્રભુની,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં સમયને નાપકડાય કોઇ દેહથી,શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરતા કૃપા મળીજાય
ના મોહમાયાનો સંબંધ અડે માનવદેહને,જ્યાં ભગવાનની પવિત્રકૃપાનો અનુભવથાય
માનવદેહને થયેલ કર્મનો સંબંધ એ જીવને અડી જાય,જે જન્મમરણથી દેહ મેળવાય
...પવિત્ર તહેવાર પરિવારમાં ભાઈબહેનનો,જે સમયે રક્ષાબંધનનો પ્રસંગ આપી જાય.
################################################################
No comments yet.