August 27th 2007

કલ્પના..

                                  કલ્પના
૨૪/૮/૭૪.                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવી કલ્પના આવી મને,જાણે સ્વર્ગ આવ્યું ધરતી પર
એવું માની મેં  લીધું, જાણે તુજને હું પામી  ગયો.
                                                       …કેવી કલ્પ્ના આવી.
શબ્દનો જ્યાં સાર છે,માનવીની કિંમત છે નહીં
કર્મ જેને પાવન બનાવે એવો આ જન્માન્ત છે
જેને પામવા દીસે જગત,આરાધનામાં ડુબ્યું ખરે
ભારત એવો આ દેશ છે,કૃતાર્થ જીવન પામી લે તું
                                                       …કેવી કલ્પ્ના આવી.
ધરતી જેની પાવન દીસે,જીવન મરણથી જે મુક્ત છે
માનવી જેને આનંદ છે,ગીતો હતા ગુંજનસમાદીસે નહીં
સ્વપ્નની સાકારતા પામી ગયો,જન્મ અહીં લઇને હું
કલ્પનાની સાર્થકતાને યથાર્થ કરવા,જીવન એળે નહીં જશે.
                                                       …કેવી કલ્પ્ના આવી.

                                   ~~~~~~~~~~~~

August 27th 2007

અંધારુ.

                                અંધારુ.
તાઃ૨૪/૮/૭૪.                            પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ચારે દિશા નિરાકાર હતી ,ગીત ગુંજન ગયું મટી;
વાદળીઓ સ્તબ્ધ બની અને,તારલા ચમકવાનાખરે.
                                                  …ચારે દિશા નિરાકાર
છુપાઇને ચાંદની ડોકીયાં કરે,રહીસહી વાદળીયોએથી
પંખીડાને પણ હવે સુઝેના,ક્યાંક ગુંજન અથડાઇ જતું. 
                                                   …ચારે દિશા નિરાકાર
અંધાર પછેડો ઓઢી આકાશ,દીપી રહ્યું ખરે અધાત
કોણ કોને ક્યાં જુએ,કોઇ ક્યાંથી દીસે નહીં કને
                                                   …ચારે દિશા નિરાકાર
જગત જીવન પામીયા,મરણ બાદ જનમ મેળવી
અંધારપટથી છાયું છે, વિશાળ તારું જીવન સંગીત
                                                    …ચારે દિશા નિરાકાર
તારલીયાઓમાં ચાંદ ચમકી ગયો,જીવન તેમ જીવી જજે
કોણ કોનું છે, ને કોનું નથી, કોઇ તુજને જાણતું નથી.
                                                    …ચારે દિશા નિરાકાર
                               ==============                        

August 27th 2007

भारतमाता..

                       भारतमाता
                                                   प्रदीप ब्रह्मभट्ट
 
मेरी जन्मभुमि है महान,लेके आया मै उपहार;
जीस धरतीसे पाई मैने, बहादुरीसी  शान,
वो है आज महान मेरी जन्मभुमि है महान.

यहॉ खेतोमें हरीयाली और अन्नदान है घरघरमे
प्यासा आके प्यास बुझाले ओर करदे दीलके दान
उसे करना है महान मेरी जन्मभुमि है महान.

वीरोसे ये धरतीकी गोद है रंगी,चुनरी जैसी लाल
बापु,नहेरु,सरदार,शास्त्रीके जीवनने पाइ है महानता
उसे करना है महान मेरी जन्मभुमि है महान.

शान्ती नारा नहेरुजीका,अमन उनकी शान थी
किसान प्यारा शास्त्रीजीको हैजो देशकी महान पुकार
उसे करना है महान मेरी जन्मभुमि है महान.

अपना नारा अबतो होगा जय जय हिन्दुस्तान
प्यार बढाये नफरत फेंके दीलसे गले मिले अपनोसे
उसे करना है महान मेरी जन्मभुमि है महान.

                    ————————–

August 26th 2007

ख्वाब

                              ख्वाब
                                                          प्रदीप ब्रह्मभट्ट

दीलके ख्वाबमें बसी हो तुम विरानेसे ये जीवनमें,
शान बनके आयी हो, अब जा रही कहां हो तुम.
                                                        …दीलके ख्वाबमें
ये नजरे,ये हुस्न ओर ये जाम
          सब है गवांह तुम्हारे सच्चे प्यारके
नजरसे बचके चली जाओगी तुम
          मेरे दीलके तीरसे कैसे बच पाओगी
                                                        …दीलके ख्वाबमें.
जमानेभरकी कसम तु है अब मेरी
         तेरी जानो पर ये आज मेरादील है दीवाना
मुझे चाहे या न चाहे हम रहे है तेरे
         रहेगे तेरे दीलके सामने दील देके सनम
                                                        …दीलके ख्वाबमें.
ये जान तुम्हारी है तुम्हारे हाथोमें मोत
        प्यार भरी निगाहोसे देखले दीलसे देदे प्यार
हम रहे है तुम्हारे रहेंगे तुम्हारे
      तुम भी तो हो मेरी मैने दीलसे जान लीया है.
                                                        …दीलके ख्वाबमें.

                            ———————

August 26th 2007

હે ચંદ્રમૌલી.

                             હે ચંદ્રમૌલી.
                                                                  પ્રદીપ ભ્રહ્મભટ્ટ
હે ચંદ્રમૌલી ,હે ચંદ્ર શેખર,હે શંભુ ત્રિલોચન,
                                     હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
હે જય જય ભોલે શંકર, હે ભસ્માંગ સુંદર,
                                 હે પશુપતિ  હરિહર,પાર્વતીપતિ પરમેશ્વર.
                                                                           …..હે ચંદ્રમૌલી.
કંઠે ધરી છે સર્પોની માળા,  તવ તાંડવે બાજે  છે ડમરુ  નિરાલા..(૨)
તેં શીલ કાજે તપો કંઇક સાધ્યા,ત્રિનેત્ર ખોલીને રતિકંથ બાળ્યા..(૨)
                                                                            …..હે ચંદ્રમૌલી.
પ્રભુ વિશ્વકાજે તે શિર ગંગા ધરી, પર્વત દુહીતાની પુજા સ્વીકારી.(૨)
જન મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,પિને હળાહળ તેં પથ કંઇક તાર્યા.(૨)
                                                                              …..હે ચંદ્રમૌલી.
         ——–=========———=============——-

August 26th 2007

જીવન પગથી.

                          જીવન  પગથી.
૨૫/૭/૭૨                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ છે આ મહાન,  પામર તેં બનાવ્યો.
         પામર આજ  બનાવીને દુઃખ સાગરમાં તેં નાખ્યો.
                                                                        ….જીવ છે આ
પહેલે પગથીયે, બાળ બનાવ્યો ,આનંદમાં વિચરતો
             નહીં કોઇ ચિંતા,નહિં કોઇ ચૈન,બસ જીવનનો લ્હાવો.
                                                                        ….જીવ છે આ
બીજે પગથીયે ,જુવાની આવી,થોડો  ભાર લદાણો,
             ભણતરના એ ડુંગરો  ચઢવા,કષ્ટ  ભર્યો બની જાતો.
                                                                        ….જીવ છે આ
ત્રીજે પગથીયે, સંસારે આવ્યો, દારા સાથ સમાણી,
        ચિંતાની હું મુર્તિ બનીને,ફરતો પ્રેમ મેળવવા કાજે,
                                                                       ….જીવ છે આ
ચોથે પગથીયે, બાળ આવ્યા ,પિતા બનીને લ્હાતો,
        બાળકોની બાળભુમિમાં ,તુજને હું ભુલી જાતો.
                                                                       ….જીવ છે આ
પાંચમે પગથીયે,આવ્યો બુઢાપો,સોટી ત્રીજો સહારો
             દીકરા એળે કરી મુકતા,જાણે કોઇ ના સહારો.
                                                                      ….જીવ છે આ
આમ પગથીયા,વટાવીને હું,છેલ્લે કિનારે આવ્યો,
        ત્યારે સાંભળ્યા પ્રભુ પિતા મને,પણ દેખુ ના આરો,
                                                                      ….જીવ છે આ
પ્રભુને ભજવા માયા ત્યજો,પછી જીવ અમર બની જાશે,
        જીવનમરણની આ ઝંઝટમાં,શાને આજ સંધાણો.
                                                                     ….જીવ છે આ
                       ——-**********——–

August 23rd 2007

મુલાકાત લંડનની

જય જલારામ                                    જય સાંઇબાબા.
                        મુલાકાત લંડનની…..   
તાઃ૯/૫/૨૦૦૭                       પુ.શકુન્તલાબેનના મુખેથી…
ભાઇ પ્રદીપની કલમે…
સંસાર સાગરના તરંગે નાવડી ડોલતી ચાલે
               વાંકી ચુકી ડોલતી અમારી જીવનનૈયા હાલે
આવ્યા અવની પર કર્મના એકમળેલ ધાગે
               મંદમંદ મલકાતી જીંદગી પ્રેમ ભરેલી લાગે
સંતાનોના સંગાથ ભરેલી મસ્તી અમને મળતી
               ઠેકોદીધો નાથ અમારે મિત્રોનીમુલાકાત કરવાને
લંડન લંડન કરતા આજે નિકળ્યા હવાઇ માર્ગે
              વિદાયદેવા જતાત્યારે રાહ આગમનની દેખાઇ
એવી અમારી ડોલતી નૈયા મુલાકાતે મલકાઇ
              મિત્રો મિત્રો કરતા આજેસહવાસ પ્રેમનો મળશે
ખોબે ખોબે પ્રેમ ઉલેચવા નાથ અમારા હાલ્યા
              લંડનમાં મલકશે ને પાછા નોર્થબર્ગનમાં ચમકશે
રાહની અમને ટેવ પડી ના સમયની સાથે હાલજો
              વ્હેલા પકડી પ્લેન ઝડપથી ઘેર પ્રેમથી આવજો.
                                 *************
આ કાવ્ય મારા મોટા બનેવી ધણા વર્ષોબાદ તેમના મિત્રોને મળવા લંડન ગયાતે પ્રસંગને ધ્યાનમાં રાખી મારી બહેનના મુખેથી નિકળેલ છે તેમ રજુ કરેલ છે.

August 22nd 2007

દીનચર્યા

                                         દીનચર્યા
૨૬/૫/૨૦૦૭                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ,  પતિ  તપાવન સીતારામ.
                   મનમાં જપતાં વ્હાલારામ,  પ્રભુને પ્યારા   જલારામ.
ઉઠતાં મુખમાં સંતનું નામ,  જીવન ઉજ્વળ કરવા કાજ.
                  હસ્ત પ્રક્ષાલય પહેલું કામ,  કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.
વંદન  ધરતીમાંને  થાય,  બોજ ભુમી પર કરવા કાજ.
                 દેહ શુધ્ધી કરણ થતું જાય,   હર હરગંગે  બોલાતું  જાય.
ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
                 પુજન અર્ચન  કરીને  આજ, ભક્તિનું  ભાથું  ભરવાને કાજ.
હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
                  પ્રભાતે રમાજાગે રવિ જાગે,  જય જલારામ કહેતા જાય.
દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
                 પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.
બારણું ખોલી  ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
                 બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.
સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
                આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.
રાત્રે સુતાજલાબાવની વાંચી,  નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
               પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.
રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
               મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.
                                    ——–************——–                       
   ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી સમજ
 આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય સાંઇબાબાની કૃપાથી
 આચરણ કરી મનુષ્ય જીવન સાર્થક કરવાનો પ્રયત્ન છે.   
             હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
                                        ——————————–

August 22nd 2007

બે માંથી એક

                                          બે માંથી એક 
 ૨૨/૧/૨૦૦૦                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જગતમાં કોઇપણ કામમાં બે માંથી એક શબ્દ કાયમ છુપાયેલ છે.જે નીચેના વિધાનો જોતા સ્પષ્ટ થશે.

* કોઇપણ મનુષ્યના જીવનમાં સુખદુઃખ વણાયેલ છે.ક્યાં તે સુખી હોય યા દુઃખી હોય.
* કોઇપણ પરિક્ષા આપશો તો તમે પાસ થશો યા નાપાસ થશો તે નિશ્ચિત છે.
* કોઇપણ ખોટું કામ કરશો  તો પરમાત્મા મારશે યા પ્રજા મારશે તે નક્કી છે.
* તમે બોલ ફેંકશો તો પાછો આવશે યા દુર જતો રહેશે.
* તમે ભણશો તો તમે સુખી થશો નહીં તો દુઃખી થશો.
* તમે લખશો તો કોઇ વાંચશે યા નહીં વાંચે.
* તમે વાંચશો તો પાસ થશો નહીં તો નપાસ નક્કી છે.
* તમે કપડાં પહેરશો તો સભ્ય લાગશો નહીં તો અસભ્ય જરુર દેખાશો.
* તમે માબાપને પુજનીય ગણશો તો કલ્યાણ થશે,નહીં તો અકલ્યાણ નક્કી છે.
* તમે સેવા કરશો તો જીવન પવિત્ર બનશે નહીં તો નર્ક નક્કી છે.
* તમે સ્વીચ પાડશો તો લાઇટ થશે યા નહીં થાય.
* તમે લગ્ન કરશો તો સુખી થશો યા વિચ્છેદ થશે.
* તમે ચુંટણીમાં ઉભા રહેશો તો જીતશો યા હાર થશે.
* તમે કાર ચલાવશો તો સહીસલામત ઘેર પહોંચશો યા અકસ્માત થશે.
* તમે લોટરી લેશો તો લાગશે યા નહીં લાગે.
* તમે કોઇપણ કામ કરશો તો તે કામ પુરુ થશે યા નહીં થાય.
                 * અને છેલ્લે…

 ** હું કાંઇક લખીશ તો વાંચકો તો વાંચશે પણ કદાચ ન પણ વાંચે.જેમાં કોઇ શંકા મને નથી.
                       ——–@@@@——-@@@@——-

August 22nd 2007

ત્રણનો સંબંધ.

                           ત્રણનો સંબંધ.
                                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવને ત્રણ રુપ મળે          –   માતા,પિતા અને સંતાન.
જીવને ત્રણમાં જન્મ મળે   –   મનુષ્ય,પ્રાણી યા પક્ષી.
જીવને ત્રણ સંબંધ             –  જન્મ,જીવન અને મૃત્યુ.
દેહને ત્રણ સ્વરુપ મળે       –  બાળપણ,જુવાની અને ઘડપણ.
જગતના ત્રણ અતુટ સંબંધ-  માતા,પિતા અને સંતાન.
ત્રણ માટે પ્રયત્ન કરવો પડે-  પ્રેમ,પૈસો અને ભણતર.
ત્રણ ભાગ્યશાળીને મળે      –  સંસ્કાર,ભક્તિ અને સન્માન.
ત્રણનું વળતર વણકલ્પ્યું છે-  મહેનત,શ્રધ્ધા અને વિશ્વાસ.
           
મનુષ્ય     –        જન્મ,જીવન અને મૃત્યું.
જન્મ        –        બાળપણ,જુવાની અને ધડપણ.
કાળ         –        ભુતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
લોહીનો સંબંધ-  માતા,પિતા અને સંતાન.
દીવસ      –        સવાર,બપોર અને સાંજ.
સમજ       –        મર્મ,કર્મ અને ધર્મ.
અવસ્થા   –        દેવ,માનવ અને દાનવ.
સમય       –        કાલ,આજ અને આવતી કાલ. 

પ્રકૃતિ       –        સાત્વિક,રાજસી અને તામસી.

                ****************

« Previous PageNext Page »