January 19th 2009
મહાત્મા ગાંધી
તાઃ૧૯/૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની એ શાન છે મને અભિમાન છે
જગમાં જેનુ માન છે એ મહાત્માગાંધી નામ છે.
મુક્તિ દેવા દેશને અર્પણ કરેલ જાન છે
માનવ મનથી મહેંકાવી સત્યમેવની શાન છે
……જગમાં જેનુ માન છે એ
હિંસા એ અપમાન છે અહિંસા એ જાન છે
અંગ્રેજોને દુર કર્યા દેશપ્રેમી નુ એ કામ છે
હાથમાં મેળવી હાથને સાથે રાખી પ્રેમને
આઝાદીની લગન રાખી મુક્તિ દેશને દાન છે
……જગમાં જેનુ માન છે એ
સ્વપ્ન આઝાદીદેશની મુક્તિ એમની માગ
જાન દીધા દેશ કાજે એ જ મને અભિમાન છે
મહાત્મા મહાત્મા એ દેશમાં ગુંજતુ નામ છે
બા કસ્તુરબાના ભરથાર બન્યા દેશનુમાન છે
……જગમાં જેનુ માન છે એ
વંદન કરે એ નામને ભારતદેશને અમર કરે
પ્રદીપને અભિમાનછે એ મહાત્મા ગાંધી નામ છે
ભારત એજ કર્મભુમી ને જીવનનુ બલીદાન છે
સાર્થક જન્મ બનીજશે દેશ માટે જે કાંઇક કરી જશે
……જગમાં જેનુ માન છે એ
##############################################
January 19th 2009
સોનેરી સુરજ
(દેશભક્તિ ગરબો)
(ઢાળઃ દાદા હો દીકરી)
તાઃ૨૧/૧૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ્
ઉગ્યો આ દેશમાં સોનેરી સુરજ..(૨)
બાપુના ખંતથી ને બા ના સહકારથી..(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
૨૬ મી જાન્યુઆરી દુનીયાને યાદ છે
સરદારનો સાથ હતો, દાદાએ દેકારો દીધો…(૨)
નહેરુજી દઇ ગયા, દેશને બલીદાન રે….(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
લાલ અને બાલ સહિત,પાલનો સહકાર હતો
ભગતસિંહે ભેખ લીધો,શિવાજીએ શાન રાખી
તાત્યા ટોપે એ દીધો દેશ માટે જાન રે…(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
ઝાંસીની રાણીની ઝંખના દેશની આઝાદીની
શહીદોના બલીદાનથી, મરદોના માનથી
સુભાષચંદ્ર જેવા દેશભક્ત નેતા જે શાન છે..(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
૧૫મી ઓગસ્ટ છે દેશ માટે દિવસ આનંદનો
દેશબંધુઓએ દેશમાટે,શાણપણથી સાથદીધો
વિનોબાભાવેએ પ્રેમે સૌનો સંગાથ લીધો રે..(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
જલ્યાવાલા બાગનો શહીદોનો દુઃખદ હત્યાકાંડરે
મદનમોહન માલવીયાએ માનત્યજી મોહત્યજ્યા
ઠક્કર બાપાએ શ્રધ્ધાએ કામ કરી દાન કર્યારે..(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
સરહદના ગાંધીને ભુલી જવાય ના..(૨)
અબ્બાસ તૈયબજી ગોંધી રખાયના,
આંબેડકરને કેમે ભુલાય નહીં..(૨)
સરોજીની નાયડુએ સંસાર ત્યજ્યો રે…(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
રાધાકૃષ્ણની સેવા અજોડ બની ગઇ…(૨)
જે પી ના નામથી જગને જીતાય છે
રામકૃષ્ણ પરમહંસ જેવા પરમદયાળુ..(૨)
શાસ્ત્રીનું શાણપણ દેશમાં વિસરાય નહીં રે..(૨)
…….ઉગ્યો આ દેશમાં સોનેરી
==============================================
ઉપરોક્ત ગરબો આણંદની મુખ્યકુમાર શાળાના સંગીત શિક્ષક શ્રી ઇશ્વરભાઇ પારેખના
કહેવાથી ૨૬મી જાન્યુઆરી ના દીને સાંસ્કૃતીક કાર્યક્રમમાં રજુ કરવા માટે લખેલ હતો જે
તેઓને અર્પણ કરેલ. તાઃ૨૧/૧/૧૯૭૭.