ગુનો અને પાપ
ગુનો અને પાપ
તાઃ૧૧/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજાણતાથી પણ જુઠ્ઠુ બોલાય તો તે ગુનો છે.
જાણી જોઇને જુઠ્ઠુ બોલવુ તે પાપ છે.
અજાણતાથી કોઇના દિલને ઠેસ લાગે તો તે ગુનો છે.
જાણીને કોઇના દીલને ઠેસ પહોંચાડવી તે પાપ છે.
અજાણતાથી કોઇને દગો થાય તો તે ગુનો છે.
જાણીને કોઇને દગો કરવો તે પાપ છે.
અજાણતાથી કોઇને ગેરમાર્ગે દોરાય તો તે ગુનો છે.
જાણી જોઇને કોઇને ગેરમાર્ગે દોરવો એ પાપ છે.
અજાણતાથી માબાપની સેવામાં ક્ષતી આવે તો તે ગુનો છે
જાણી જોઇને માબાપને તરછોડવા તે પાપ છે.
અજાણતાથી ભક્તિમાર્ગ ભુલી જવાય તો તે ગુનો છે.
જાણી જોઇને ભક્તિનો દેખાવ કરો તે મહાપાપ છે.
અને
એટલુ યાદ રાખવું કે
અજાણતાથી થયેલા ગુનાને પરમાત્મા પણ માફ કરે છે
પણ જાણી જોઇને કરેલા પાપની સજા જીવને ભોગવવી જ પડે છે
(((((((((((((((((((((((((((++++++++++++))))))))))))))))))))))))))))