August 20th 2009

ભક્ત અને ભક્તિ

                     ભક્ત અને ભક્તિ

તાઃ૨૦/૮/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગની લાગી જલારામથી, મનમાં આનંદ થાય
શરણુ લેતા જલાસાંઇનુ,જીવ ભક્તિએ વળીજાય
                        ……..લગની લાગી જલારામથી.
માયાના બંધન ના વળગે,ને કાયાના ના મોહ
જીવને મળેલ માનવ જન્મ,ઉજ્વળ આવે અંત
સ્મરણ જલાનું મનથી કરતાં,મહેંકે ભક્તિ સંગ
મુંઝવણ જગમાં ભાગેદુર,જ્યાં જલાસાંઇનો રંગ
                      …….. લગની લાગી જલારામથી.
સંસારની માયાનો રંગ,ભક્તિએ જ ભાગી  જાય
નાવળગી ચાલે જીવને,જ્યાં માળા આવી હાથે
લાગેલગની પ્રભુસ્મરણથી,ને હૈયુ રામથી લાગે
આવે જ્ન્મનો અંત ન્યારો,જ્યાં જલાસાંઇ આવે
                      …….. લગની લાગી જલારામથી.

=+++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment