સ્નેહાળ જ્યોત
સ્નેહાળ જ્યોત
તાઃ૨૧/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ પ્રેમની જ્યોત અનેરી, જીવન મહેંકી જાય
અંતરમાં ઉભરે આનંદઅનેરો,ને હૈયુ ભરાઇ જાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
લાગણી એવી મળી જાય,નેઉજ્વળ જીવન થાય
આનંદનીલહેર પણ અનેક,જે અતિસ્નેહ દઇ જાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
માયાનો સંબંધ અનેરો, મુક્તિએ ચાલી જ જાય
જીવનીઝંઝટ છુટી જાય,ને ભવ પણ સુધરીજાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
કુદરતથી જ કાયા મળે,ને મોહ દેહને લઇ જાય
મુંઝવણ માનવજીવનમાં,જે સુખદુઃખને દઇજાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
મળે પ્રેમની જ્યોત જગે,જ્યાં ભક્તિ પ્રેમ થાય
આવે આંગણે સંતનોસ્નેહ,ને પાવનજીવન થાય
……સ્નેહ પ્રેમની જ્યોત.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@