April 24th 2010

વિશ્વાસ

                                  વિશ્વાસ

તાઃ૨૪/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એ તો ભાવના છે,ને વિશ્વાસ મનથીજ થાય
લીલા આ અવિનાશીની,શ્રધ્ધાએ જીવનમહેંકી જાય
                             …………શ્રધ્ધા એ તો ભાવના છે.
ડગલુ ચાલતાં પ્રભાતમાં,પ્રભુ પ્રાર્થના જગમાં થાય
મળી જાય કૃપા ભગવાનની.જે શ્રધ્ધાથીજ મેળવાય
                              …………શ્રધ્ધા એ તો ભાવના છે.
મળ્યો દેહ માનવીનો જગે,ત્યાં માનીકૃપા મળી જાય
પિતાને પરમેશ્વર માનતા,સંતાનની શોભા વધીજાય
                            ………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જીવનના સોપાનો અનેક,અડચણ ઘણાએ આવીજાય
શ્રધ્ધા જલાસાંઇમાં રાખતાં,સોપાન સરળ મળી જાય
                              …………શ્રધ્ધા એ તો ભાવના છે.
મહેનતનો સંગ રાખતાં દેહે,જીવન માનવીથી જીવાય
વિશ્વાસ રહે જ્યાં મનથી,ત્યાં જ સફળતા દેખાઇ જાય
                             ………….શ્રધ્ધા એ તો ભાવના છે.
જગતજીવ જન્મદાતાનો છે,મહેનતથી જીવન જીવાય
સત્યમાર્ગની જીવનેકેડીમળે,જ્યાં વિશ્વાસેવહાણ તરાય
                               ………..શ્રધ્ધા એ તો ભાવના છે.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment