September 2nd 2010

સદબુધ્ધિ

                             સદબુધ્ધિ

તાઃ૨/૯/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સદબુધ્ધિની સોટી પડતાંજ,કુબુધ્ધિ તો ભાગી જાય
નાઆરો કે ઓવારો રહેતાં,બીજી મતી શોધતી થાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
જીવન જીવતા દેહને જગમાં,ઘણી કડીઓ છે દેખાય
કઇ કડી ક્યારેવળગે કે મળે,એ કોઇથીય ના કહેવાય
માનવતાની કેડી જગતમાં,ઉજ્વળ જીવન કરી જાય
ભક્તિનાસહવાસને કાજે,પવિત્ર જીવને તેમળી જાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
મહેનત મનથી કરતાં દેહે,યોગ્ય ફળ પ્રેમે મેળવાય
સદબુધ્ધિના સહવાસથી,ઝાઝા હાથ પણ મળી જાય
નાટેકાની કોઇ જરૂરપડે દેહને,જ્યાં કૃપા પ્રભુની થાય
ઉજ્વળ જીવન બની રહે,ને જીવ મુક્તિ એ જ દોરાય
                          ………સદબુધ્ધિની સોટી વાગતાં.
કુબુધ્ધિ આવે જો ઓટલે,તો ખેદાન મેદાન થઇ જાય
સમજ ના પડે માનવીને,જે દુષ્ટ મતીએ  દોરી જાય
સમજણનો સહવાસ મળે,ત્યાં જન્મ સફળ થઇ જાય
પળેપળને સાચવીચાલતાં,ના ખાડોખબડો મળી જાય
                         ……….સદબુધ્ધિની સોટી વાગતાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment