October 17th 2010

વિધીના વિધાન

                       વિધીના વિધાન

તાઃ૧૭/૧૦/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

લખેલા લેખ વિધીના,ના કોઇથીય એ ઓળંગાય
માનવીના મનની ગાથાને,પ્રભુ કૃપાએ સમજાય
                            ……….લખેલા લેખ વિધીના.
મંગળફેરા ફરી લીધા ત્યાં,સંબંધના બંધન દેખાય
જીવન જીવવાની સાચી કેડી,સહવાસે મળી જાય
ભુલોથી ભરેલી આ સાંકળને,ના કોઇથીય છટકાય
દેહના બંધનનો શણગાર,સાચી ભક્તિએજ તોડાય
                             ……….લખેલા લેખ વિધીના.
કરી લીધેલા કામ જીવે,દેહના બંધને જ સચવાય
મળશે માયા મોહ ભટકતાં,મેખ જેવા જગે કહેવાય
કલમ વિનાયકની ચાલતાં,દેહને બંધનો મળીજાય
ટળી શકેના લેખ લખેલા,ભક્તિએ પામર બનાવાય
                             ………..લખેલા લેખ વિધીના.

+++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment