વિધીના વિધાન
વિધીના વિધાન
તાઃ૧૭/૧૦/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લખેલા લેખ વિધીના,ના કોઇથીય એ ઓળંગાય
માનવીના મનની ગાથાને,પ્રભુ કૃપાએ સમજાય
……….લખેલા લેખ વિધીના.
મંગળફેરા ફરી લીધા ત્યાં,સંબંધના બંધન દેખાય
જીવન જીવવાની સાચી કેડી,સહવાસે મળી જાય
ભુલોથી ભરેલી આ સાંકળને,ના કોઇથીય છટકાય
દેહના બંધનનો શણગાર,સાચી ભક્તિએજ તોડાય
……….લખેલા લેખ વિધીના.
કરી લીધેલા કામ જીવે,દેહના બંધને જ સચવાય
મળશે માયા મોહ ભટકતાં,મેખ જેવા જગે કહેવાય
કલમ વિનાયકની ચાલતાં,દેહને બંધનો મળીજાય
ટળી શકેના લેખ લખેલા,ભક્તિએ પામર બનાવાય
………..લખેલા લેખ વિધીના.
+++++++++++++++++++++++++++++