સાચી શાંન્તિ
સાચી શાંન્તિ
તાઃ૩/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે,
મોહમાયાના બંધનમાં જીવ ભટકે છે;
કુદરતના આ ન્યાયમાં મંજીલ મળે છે,
જીવના જન્મ મરણના બંધન ટળે છે.
………..દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
સંસારની સાંકળથી સુખદુઃખ મળી જાય,
લાગણીના દ્વારે તો દુઃખ ભાગી જાય;
દેહથી લીધેલા પ્રેમને પાંખો આવી જાય,
સહવાસ છુટતાં દુઃખનો દરીયો મળીજાય.
………….દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
સંબંધીઓના સહવાસમાં ભાવના મળી જાય,
કરુણાના સાગરને જોવા ભક્તિ લાગી જાય:
સમયને પારખી ચાલતાં મુખ મલકાઇ જાય,
મળે શાંન્તિ મનને ત્યાં દેહને સુખ મળી જાય.
………….દીવ્ય પ્રેમની જ્યોતમાં ભક્તિ આવે છે.
===================================