ઘરના ડૉક્ટર
ઘરના ડૉક્ટર
તાઃ૧૭/૧૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
- ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
- મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
- હળદર અને આંમળાનુ ચુર્ણ એક ચમચી ભેગા કરી રોજ લેવાથી ડાયાબીટીસ મટે છે.
- જીરાનુ ચુર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
- તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસીડીટી મટે છે.
- મેથીના કુમળા પાનનું શાક બનાવી ખાવાથી લોહી સુધરે અને શક્તિ મળે છે.
- મરીને શુધ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા નાંખવાથી આધાશીશી મટે છે.
- રાત્રે મીઠાની કાંકરી મોંમાં રાખી મુકવાથી ઉધરસ ઓછી થાય છે.
- રાઇ અને મરીના ચુર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોળી મટે છે.
- કોપરેલ અને લીંબુનોરસ મેળવી શરીર પર માલીસ કરવાથી ખુજલી અને દાદર મટે છે.
- ફુદીનો અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઇ જાય છે.
- મરી,તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- મચ્છર કે કીડી-મંકોડાના ડંખ પર લીબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
- તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
- છાલ સાથે કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
- જુનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
- લવિંગનુ તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
- દુધમાં ઘી મેળવી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
- શેરડીનોરસ પીવાથી હેડકી બંધ થાય છે,જીરૂ ચાવવાથી હેડકી બંધ થાય છે.
- માથું દુઃખતુ હોય તો લવિંગનુ તેલ કપાળે ઘસવાથી મટી જાય છે.
- સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- ખાંડ અને લીંબુનો રસ ભેગા કરી માથું ધોવાથી જુ અને ખૉડો ઓછો થાય છે.
- એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દુર થાય છે.
- દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.
- લસણની કળીઓ ગળવાથી લકવો મટે છે.
__________++++++++__________++++++++_________
*** આ તો ભઇ ઘરના દર્દીઓ માટે ઘરના ડૉક્ટરના ઘરગથ્થુ જ ઇલાજ.
આડ અસર તો નહીં જ અને એક્સ્પાયર ડેટ પણ નહીં.***
===========================================