July 12th 2011

ગજાનંદ પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                         ગજાનંદ પ્રેમ

તાઃ૧૨/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદની કૃપા નિરાળી,જ્યાં પુંજન અર્ચન થાય
શાંન્તિનો સહવાસ નિરખી,જીવને અનંતપ્રેમ થાય
                         …………ગજાનંદની કૃપા નિરાળી.
ઉજ્વળ પ્રભાતના આગમને,જીવન ઉજ્વળ થાય
આધીવ્યાધી નારહે ઉપાધી,એતો દુર ભાગી જાય
ભક્તિનો એ અતુટ પરચો,જ્યાં ગજાનંદને પુંજાય
શ્રધ્ધા રાખી નિર્મળ મને,પાવનકર્મ જ થતા જાય
                         …………ગજાનંદની કૃપા નિરાળી.
ગૌરીપુત્રનો છે  પ્રેમ નિરાળો,જે મુશક માણી જાય
કરુણાનો તો સાગરછે,જે જીવનેમુક્તિએ દોરી જાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,ત્યાં ગજાનંદ હરખાય
મળેકૃપા પરમાત્માની,ત્યાં જીવન સફળ થઈ જાય
                        ………… ગજાનંદની કૃપા નિરાળી.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment