વિરપુરનો વાર
વિરપુરનો વાર
તાઃ૧૪/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરૂવારની છે અજબ ચાહત,ભક્તિએ માનવતા મેળવાય
દેહ મળેલ અનેક જીવોને,અન્નદાનથી કોઇક જીવ હરખાય
એવું વિરપુર ગામનિરાળુ,વિરબાઇ જલારામથી ઓળખાય
………..ગુરૂવારની છે અજબ ચાહત.
ભક્તિને ભજન સંગ રાખી,માનવતાને એ મહેંકાવી જાય
મહેનતનો સહવાસ રાખીને,ગૃહસ્થજીવન પણ જીવી જાય
પ્રભુ કૃપાની એકજ લહેર ન્યારી,જે અન્નદાને જ દોરી જાય
મેળવી લીધી શાંન્તિ જીવથી,જ્યાં પરમાત્મા ભાગી જાય
…………ગુરૂવારની છે અજબ ચાહત.
સંસ્કાર સિંચન છે વિરબાઇમાના,જે ભવસાગર તારી જાય
પતિપ્રેમને પારખી લેતા તો,સાધુની એ સેવા કરવા જાય
તનથી મહેનત ને મનથીજ ભક્તિ,જે સંતાને પણ દેખાય
ભાગે પરમાત્મા ભુમીથી,એજ સાચી નિર્મળભક્તિ કહેવાય
………..ગુરૂવારની છે અજબ ચાહત.
************************************
+++જય જલારામ,જય વિરબાઇમાતા,વંદન વારંવાર+++
………..આ તો ગુરૂવારનો મહીમા અપરંપાર.
_________________________________________