July 21st 2011

સાંકળ શ્રધ્ધાની

                         સાંકળ શ્રધ્ધાની

તાઃ૨૧/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એતો સાંકળ છે,જે જીવને સદમાર્ગે દોરી જાય 
ભક્તિ ભાવના પ્રથમ પગથીએ,જીવને આનંદ થાય
                             …………શ્રધ્ધા એતો સાંકળ છે.
માયા છે કળીયુગના બંધન,જન્મ મળતાં મળી જાય
કોટી કરતાં ઉપાય જગતમાં,કોઇથીય એ ના છોડાય
રાહભક્તિની સાચીમળતાં,જીવને શાંન્તિમળતી થાય
મળે પ્રભુની ભક્તિ જીવને,ત્યાં મનની મુંઝવણ જાય
                               ……….શ્રધ્ધા એતો સાંકળ છે.
ડગલુભરતાં ભક્તિરાહ પર,કળીયુગી વ્યાધી ભટકાય
શ્રધ્ધાનીસાંકળ મળીજતાં,જીવને પ્રભુપ્રેમ મળીજાય
મનનેશાંન્તિ તનનેરાહત,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
સુખમળે જ્યાં સ્વર્ગનુ જીવને,મુક્તિ માર્ગ મળી જાય
                              …………શ્રધ્ધા એતો સાંકળ છે.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment