એક ટકોર
એક ટકોર
તાઃ૨૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવીને મોહમાયા,ત્યાં વર્તન બદલાઇ જાય
અભિમાનની એક આદતે,જગમાં જીવ મુંજાઇ જાય
જીવને મળે કૃપાપ્રભુની,ટકોરે જીવન બદલાઇ જાય
………..મળે માનવીને મોહ માયા.
જગના બંધન જીવેવળગે,નેદેહ અવનીએ મેળવાય
સાચી રાહ જીવનમાં લેતાં,માનવી સદમાર્ગે દોરાય
મળે જીવનમાં સંબંધ અનેરા,ના કોઇથી એ છોડાય
એક ટકોર મળે સંતની,ત્યાં જીવનો ભવસુધરી જાય
………..મળે માનવીને મોહ માયા.
આગમન અવનીએ થતાં,બાળપણથી રાહ લેવાય
મળેએક ટકોરપ્રેમની,ત્યાંદેહની જુવાની સુધરીજાય
મલતાં સહવાસ નિખાલસ,પગલુ ભરતાં સમજાય
દેહને મળે મુક્તિજગથી,ત્યાં જન્મ સફળ થઈ જાય
………..મળે માનવીને મોહ માયા.
===============================