July 23rd 2011

દેહ જીવન

                           દેહ જીવન 

તાઃ૨૩/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં દેહ જીવન નાશ્વંત છે,જે મૃત્યુ એ સમજાય 
પ્રભુ ભક્તિમાં વિશ્વાસ રાખતાં,જીવની મુક્તિ થાય
                  ……….જગમાં દેહ જીવન નાશ્વંત છે.
કર્મની કેડીજ લાવે તાણી,જીવ અવનીએ ભટકાય
ઉજ્વળ જીવન જગે જીવતાં,દેહે રાહત મળી જાય
સુખદુઃખ બંધન છે દેહના,નાજીવનેએ સ્પર્શી જાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપા મળી જાય
                 ………..જગમાં દેહ જીવન નાશ્વંત છે.
કોની કેટલી ભક્તિ મનથી,એતો વર્તનથી દેખાય
વાણી વર્તન ઉજ્વળ મળતાં,જીવને શાંન્તિ થાય
રામનામની ધુન લાગતાં,સંત જલાસાંઇ હરખાય
ભક્તિરાહની જ્યોત મળતાં,વિશ્વાસ પ્રભુમાં થાય
                ………..જગમાં દેહ જીવન નાશ્વંત છે.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment