મુક્તિ માર્ગ
મુક્તિ માર્ગ
તાઃ૨૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એ છે જીવની દોરી, ને દેહથી વર્તન થાય
ભક્તિ એતો મનની શક્તિ,જે મુક્તિએ દોરી જાય
…………શ્રધ્ધા એ છે જીવની દોરી.
દેહમળતાં જીવને જગે,માનવી,પ્રાણી છે ઓળખાણ
માનવ જન્મ એજ સાર્થકતા,જે મુક્તિએ લઈ જાય
પ્રાણીદેહ એ નિરાધારતા,જ્યાં ત્યાં ભટકીને જીવાય
જીવને જકડે માયા જીવનમાં,ના કોઇથી એ છોડાય
………… શ્રધ્ધા એ છે જીવની દોરી.
મતીને છે મોહમાયાના બંધન,કળીયુગે ભટકી જાય
ગજાનંદની એક દ્રષ્ટિએ,જીવથી મુક્તિદોર મેળવાય
છુટે બંધન જગનાજીવને,જ્યાં સાચીભક્તિ સહેવાય
બંધન છુટે જન્મમરણના,જ્યાં મુક્તિમાર્ગ મળીજાય
………..શ્રધ્ધા એ છે જીવની દોરી.
*************************************