July 26th 2011

ભક્તિ આનંદ

                          ભક્તિ આનંદ                  

ત્તઃ૨૬/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં, માનવ દેહ ભટકતો થઇ જાય
જલાસાંઇની  ભક્તિ રાહે, જીવને ભક્તિનો આનંદ મળી જાય
                                  …………શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.
ગજાનંદને ફુલ અર્પતાં,પિતા ભોલેનાથ ને માપાર્વતી હરખાય
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવે ઘરમાં ભક્તિપ્રેમ મળી જાય
શ્રી ગણેશાય  નમઃ નું ઉચ્ચારણ,પવિત્ર વાતાવરણ કરી જાય
ગૌરીનંદનનો પ્રેમ પામતાં દેહે,જીવનો જન્મ સફળ થઈ જાય
                               ………….  શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.
મુક્તિમાર્ગને પારખી લેતાં,દેહનુ વર્તન જગતે બદલાઇ જાય
પળપળ સાચવી લેતાં ગજાનંદ,એ જીવનો ઉધ્ધાર કરી જાય
ભાગે માયામોહ કળીયુગના,હંમેશાં જગતમાંદેહ લબદાઇ જાય
ભક્તિનો આનંદ અનેરો જગતમાં,ના કોઇથીય એ સમજાવાય
                                 …………..શાંન્તિ શાંન્તિ શોધવા જગમાં.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment