July 26th 2011

વિઝા

.                         વિઝા

તઃ૨૬/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અરજી કે ના કોઇ લાઇન,અને દેહને લાવશે જલ્દી જી
કુદરતની ન્યા યીકચેરીએ,જન્મ મરણના વિઝા મળશે ફ્રી
.                        …………ના અરજી કે ના કોઇ લાઇન.
મળશે લાયકાત જીવને પ્રભુથી,જે જન્મ થકી જ દેખાય
કર્મના બંધન છટકે ત્યાંથી,જ્યાં ભક્તિએ જીવ સહવાય
દેહ મળે અવનીએ ગતીથી,સંસારી સાગર તરી જવાય
બંધન એવા કર્મે બાધ્યા જગે,એ ભક્તિ માર્ગે સમજાય
.                        …………ના અરજી કે ના કોઇ લાઇન.
ના મંજુરી મેળવી પડે,કે ના કોઇ સહી સિક્કાય જોવાય
વિશાળ ધરતીના ભાગો પર,માનવી જીવન ફરતું થાય
કર્મના નિર્મળસંબંધ અવનીના,જીવને વિઝા મળી જાય
સત્કર્મોની સીડીએ ચઢતાં,મુક્તિવિઝા જીવને મળી જાય
.                         …………ના અરજી કે ના કોઇ લાઇન.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment