ભોળાનાથ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. ભોળાનાથ
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણાના એ સાગર છે,ને ભક્તોના વ્હાલા ભગવાન
મુક્તિમાર્ગની રાહબતાવી,ઉજ્વળ કરે આ અવતાર
એવા વ્હાલા છે ભોળાનાથ,એ છે જગતપિતા સમાન
. …………કરુણાના એ સાગર છે.
ગજાનંદના વ્હાલાપિતાજી,ને મા પાર્વતીના ભરથાર
સુખદુઃખના એતો છે સંગાથી,ૐ નમઃશિવાય બોલાય
પુકાર સાંભળી સાચા ભક્તોનો,રાતદીવસ ભુલી જાય
કૃપા કરે જ્યાં મહાદેવ જગતે,સૌને શાંન્તિ મળી જાય
. ………….કરુણાના એ સાગર છે.
સાંઇ બાબાની જ્યોત પ્રક્ટાવી,અલા ઇશ્વર એક દીધા
ભક્તિ પ્રેમને સમજવા કાજે,શ્રધ્ધા સબુરી જગે લીધા
જન્મ મરણની નાછે કોઇ છાયા,આવી અવનીએ રહ્યા
ભક્તોને સાચીરાહચીંધીને,પૃથ્વી પરથી વિલીનથયા
. ………….કરુણાના એ સાગર છે.
**********************************