July 28th 2011

ભોળાનાથ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   ભોળાનાથ

તાઃ૨૮/૭/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાના એ સાગર  છે,ને ભક્તોના વ્હાલા ભગવાન
મુક્તિમાર્ગની  રાહબતાવી,ઉજ્વળ કરે આ અવતાર
એવા વ્હાલા છે ભોળાનાથ,એ છે જગતપિતા સમાન
.                              …………કરુણાના એ સાગર  છે.
ગજાનંદના વ્હાલાપિતાજી,ને મા પાર્વતીના ભરથાર
સુખદુઃખના એતો છે સંગાથી,ૐ નમઃશિવાય બોલાય
પુકાર સાંભળી સાચા ભક્તોનો,રાતદીવસ ભુલી જાય
કૃપા કરે જ્યાં મહાદેવ જગતે,સૌને શાંન્તિ મળી જાય
.                               ………….કરુણાના એ સાગર  છે.
સાંઇ બાબાની જ્યોત પ્રક્ટાવી,અલા ઇશ્વર એક દીધા
ભક્તિ પ્રેમને સમજવા કાજે,શ્રધ્ધા સબુરી જગે લીધા
જન્મ મરણની નાછે કોઇ છાયા,આવી અવનીએ રહ્યા
ભક્તોને સાચીરાહચીંધીને,પૃથ્વી પરથી વિલીનથયા
.                               ………….કરુણાના એ સાગર  છે.

**********************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment