સરળતાનો સાથ
. સરળતાનો સાથ
તાઃ૨૯/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખને સંબંધ દેહથી,જગતમાં જીવ કદી ના જકડાય
સરળતાનો સાથ મળે જ્યાં,ત્યાં સંત જલાસાંઇને ભજાય
. ………….સુખદુઃખને સંબંધ દેહથી.
નિર્મળતાની આ નાજુક કેડી,તન,મન,ધનથી સમજાય
નામમતા કેના માયાજાગે,જ્યાં ઘેર પ્રભાત વહેલુ થાય
આવે આંગણે કૃપાપ્રભુની,ના બીજા કોઇથી જગે જોવાય
મનન શાંન્તિ દે નિર્મળતા,લાયકાતે સાતેવારે મેળવાય
. …………..સુખદુઃખને સંબંધ દેહથી.
સરળતાનો સાથ મુક્તિથી,જે જીવને માર્ગ બતાવી જાય
જલાસાંઇની એક માળાએ,દેહનો દીવસ ધન્ય થઈ જાય
સંસ્કારનીકેડી છે નિરાળી,જે સાચીમાનવતાએ સમજાય
ના આશાના કિરણ કોઇ શોધે,જ્યાં પ્રેમીભક્તિ થઈ જાય
. ………….સુખદુઃખને સંબંધ દેહથી.
@@@@@@@@@@@@@@@@@@@@@@@