ધન વૈભવ
. ધન વૈભવ
તાઃ૨૪/૧૦/૨૦૧૧ (ધનતેરસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધન વૈભવ છે કૃપા માતાની,જે  ભક્તિ પ્રેમથીજ મેળવાય
લક્ષ્મી માતાની સદા કૃપા રહે,જ્યાં વૈભવ લક્ષ્મીને પુંજાય
.                    ………….ધન વૈભવ છે કૃપા માતાની.
આજકાલની આ રામાયણમાં,ના  ભક્તિ ભાવને ખોવાય
સદાપ્રેમથી ભક્તિ કરતાં જીવનમાં,મા સદાય રાજીથાય
પંચામૃતથી સ્નાનકરાવી,માતાની મુર્તીની આરતી થાય
સરળપ્રેમની ભાવનાજોતાં,લક્ષ્મીમાતાની કૃપા મેળવાય
.                    …………..ધન વૈભવ છે કૃપા માતાની.
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,દેહથી ધનવૈભવ મેળવાય
એક જ દ્રષ્ટિ પડે માતાની,કૃપાની કેડી જીવને મળી જાય
આવતી વ્યાધી અટકે જીવનમાં,ને ઉપાધીય ભાગી જાય
સાર્થક ભક્તિ બને દેહની આજે,જ્યાં લક્ષ્મીની વર્ષા થાય
.                      ………….ધન વૈભવ છે કૃપા માતાની.
===================================