January 20th 2012

સાંકળ સ્નેહની

………………..સાંકળ સ્નેહની

તાઃ૨૦/૧/૨૦૧૨ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની સરળ છે સરગમ,જ્યાં પ્રેમભાવ વહેંચાય
નિર્મળપ્રેમ જગતમાં એવો,સ્નેહની સાંકળથી બંધાય
. …………………………………….જીંદગીની સરળ છે સરગમ.
મારુતારુ ને માળીયેમુકતાં,જીવે નિર્મળતા મળીજાય
અંતરમાં ઉભરે પ્રેમસાચો,ત્યાં મોહમાયા ભાગી જાય
અનંત જીવો ખડબદ જીવે,ને આ તેનાથી બચી જાય
સાચી રાહ મળે ભક્તિથી,જે સાચાસ્નેહથી મળી જાય
. ……………………………………જીંદગીની સરળ છે સરગમ.
પ્રેમસાચો પામવાજગતમાં,લાયકાતકૃપાએ મેળવાય
ભક્તિભાવને સાચવી જીવતાં,સંતથી રાહ મળી જાય
મળેપ્રેમ અનેક જીવોનો,જે સ્નેહની સાંકળ બની જાય
અંત આવતા દેહનો અવનીએ,મુક્તિ ધામ મળી જાય
. ……………………………………જીંદગીની સરળ છે સરગમ.

=============================