January 2nd 2012

તીર્થધામ

……………………તીર્થધામ

તાઃ૨/૧/૨૦૧૨…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણું મારે છે જલાસાંઇનું,જીવને મુક્તિમાર્ગ મળી જાય
મોહમાયાના બંધન ભાગે,જ્યાં સાચુ તીર્થધામ સહેવાય
. …… …………………………………….શરણું મારે છે જલાસાંઇનું.
કરુણાસાગર આવે અવતારી,ઉજ્વળ જન્મ કરવા કાજ
જીવને મળતા અનેક માર્ગમાં,મળે ભક્તિમાર્ગનો સાથ
તન મનને જ્યાં શ્રધ્ધા મળે,ત્યાં પાવનકર્મ થતાં જાય
ઉજ્વળ જીવતરની કેડી મળે,જ્યાં પવિત્રતીર્થ સ્પર્શાય
. ………………………………………….શરણું મારે છે જલાસાંઇનું.
પામરજીવન બને માનવીનું,ને જેતે સહવાસે ભટકાય
ભક્તિભાવથી માળા જપતાં,જીવની જ્યોતપ્રગટી જાય
અણસાર મળે કૃપાળુનો,જે જીવને મુક્તિએ દોરી જાય
અહંકારનીકેડી છુટે જીવથી,મળેલ જન્મસફળ થઈજાય
. ….. ……………………………………….શરણું મારે છે જલાસાંઇનું.

+++++++++++++++++++++++++++++++++++++++++