ભજન ભોલેનાથનુ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
……………ભજન ભોલેનાથનું
તાઃ૧૬/૧/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
હર હર ભોલેનાથનુ ભજન કરુ હું આજ
…….નિર્મળપ્રેમથી કૃપા મેળવવા સ્મરણ કરું દીનરાત
……………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
અગ્નીકુંડમાં સીતા બળાતા,દીધા માતાના અનેક સ્વરૂપ
જીવન ઉજ્વળ કરવા કાજે,ભોલે ભક્તિ દીધી છે અનુકુળ
મોહમાયાના બંધન ના સ્પર્શે,કે નાકળીયુગની કોઇ પ્રીત
ઉજ્વળ જીવનમાં રાહ મળે,જ્યાં સાચી ભક્તિની છે રીત
………………ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.
ગજાનંદના પિતા છે પ્યારા,ને માતા પાર્વતીના ભરથાર
સૃષ્ટિની કરે અજબ રચના,જે જગે તાંડવથી અનુભવાય
શ્રધ્ધારાખી ભોલેને ભજતાં,જીવે નાઆફત કોઇ અથડાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલેજ્યાં,ત્યાંજીવનો ઉધ્ધાર થઇજાય
. ……………..ભોલે હરહર શ્રી મહાદેવ બોલો હરહર શ્રી મહાદેવ.