.જીવને શ્રધ્ધાંજલી
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
……………. જીવને શ્રધ્ધાંજલી.
તાઃ૯/૧/૨૦૧૧ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમ મળ્યો છે અમને,ના મોહમાયા દેખાય
સદાય હસતે ચહેરે સૌને,આવકારએ આપતા જાય
. ……………………………………નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
અનંત આનંદ થાય સૌને,જે માનવીના મુખે દેખાય
આવકાર આપે હસતે મુખે,ને નિર્મળવાણી સંભળાય
બારણું ખોલતા પધારો બોલે,ત્યાં પ્રભુકૃપાય દેખાય
ફરીફરીને મન આવવાચાહે,એજપ્રેમ સાચો કહેવાય
. …………………………………..નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
સંબંધ સૌનો સાચવી રાખે,જે પવિત્ર પ્રેમ છે કહેવાય
યાદ તમારી હૈયે રહેશે,જે સાચી માનવતાએ મેળવાય
માન અભિમાનને દુરરાખી,સૌને દઈ દીધા છે સન્માન
મુક્તિ જીવને પરમાત્મા દઈદે,એજ પ્રાર્થના છે કરતાર
. ………………………………….નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
+++++++++++++++++++++++++++++++
………… મુ.શ્રી કાન્તિભાઇ શાહે તાઃ૮મી જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ અવનીપરથી વિદાય
લઈ પરમાત્માના ચરણમાં વાસ કરી લીધો છે.તેમની ક્ષતી અમને ન લાગે તેવી પરમાત્મા
શક્તિ આપે.અને તે પવિત્ર જીવને જન્મમરણથી મુક્તિ આપે તેવી ગુ.સા.સ.ના સર્વ સભ્યો
તરફથી સંત જલારામ બાપાને પ્રાર્થના.
………….લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા સૌ સ્નેહીજનો. (હ્યુસ્ટન,ટેક્ષાસ)