January 15th 2012

ભક્તિ ભાવ

…………………….ભક્તિ ભાવ

તાઃ૧૫/૧/૨૦૧૨ ……………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહની શીતળતા સચવાતા,સાચો પ્રેમ જીવને મળી જાય
કુદરતની આછે કૃપા નિરાળી,સાચી ભક્તિભાવે મળી જાય
. …………………………………..સ્નેહની શીતળતા સચવાતા.
નિર્મળતાનો સંગ રાખતાં જીવનમાં,સાથ સૌનો મળીજાય
ઉમરાને ઓળંગતા પહેલા,જીવને સાચો માર્ગ મળી જાય
મહેંક મળે જીવનમાં માનવતાની,ને જન્મ સફળ થઈજાય
ભક્તિભાવ એજ સાચીકેડી જીવની,મુક્તિ માર્ગ મળી જાય
. …………………………………….સ્નેહની શીતળતા સચવાતા.
કળીયુગની કાતરને પારખતા,મોહમાયા દુર ભાગી જાય
ભક્તિની એ શક્તિ અજબની,જીવને સદમાર્ગે લઈ જાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,દેહથી તેને અનુભવાય
ભક્તિભાવ દઈદે કેડી જીવને,મળેલ જન્મસફળથઈજાય
. …………………………………….સ્નેહની શીતળતા સચવાતા.

++++++++++++++++++++++++++++++++