June 15th 2012

મંદીરના દ્વાર

.                    મંદીરના દ્વાર

તાઃ૧૫/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને,અનંત શાંન્તિ મળી જાય
પામર જીવને સદમાર્ગ મળે,ત્યાં જન્મ સફળથઈ જાય
.                 ………………..પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં જીવ ભક્તિમાર્ગે જાય
સંસારનો સંબંધ સાચવી ચાલતાં,વ્યાધી ના અથડાય
પ્રભુ કૃપાએ લાયકાત જીવની,ત્યાં મંદીર ઘરમાં થાય
જલાસાંઇની મળતાં કૃપા,ઘરમંદીરના દ્વાર ખુલી જાય
.               ………………….પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.
ના દાન પેટીના મોહ પ્રભુને,કે ના ટીલા ટપકાના ખેલ
મન વિચારને વાણી સાચવી,ત્યાં મળે શાંન્તિના મહેલ
સમયને સમજી ચાલતા,જીવને મળીજાય પવિત્ર વ્હેણ
આવી આંગણે પરમાત્મા રહે,એજ સાચી ભક્તિની દેણ
.                …………………પ્રભુકૃપા ને પ્રેમ મળે જીવને.

++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment