December 18th 2012

નિર્મળતાનો સંગ

.                      .નિર્મળતાનોસંગ

તાઃ૧૮/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ મળતા જીવન,કર્મે પાવન થાય
શાંન્તિનો સહવાસ મળે ત્યાં,જન્મ સફળ થઈ જાય
.            ………………નિર્મળતાનો સંગ મળતા જીવન.
દેહના સંબંધ સાથે જ ચાલે,ના કોઇનાથી છટકાય
અવનીપરના આગમન સંગે,સાથે કર્મબંધન હોય
લાગણી મોહ કે માયામળે,જ્યાં કળીયુગ સંગે હોય
સમજણનોસંગ રહે જીવનમાં,ત્યાંજ માનવતાહોય
.           ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.
મન વિચારને વાણી સાચવતાં,પ્રભુ પ્રેમનીવર્ષા થાય
આવી મળે  નિર્મળતા જીવને,ત્યાં ભેદભાવ ના હોય
સંગ મળે  નિશ્વાર્થ ભાવનાએ,ત્યાં જ ઉજ્વળતા હોય
જલાસાંઇની કેડી પકડતા,જીવને મુક્તિમાર્ગ દેખાય
.           ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment