December 30th 2012

ચરણ સ્પર્શ

.                        ચરણસ્પર્શ

તાઃ૩૦/૧૨/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કારના શીતળ સંગે રહેતા,જીવનમાં શાંન્તિ મળી જાય
વંદનકરીને ચરણ સ્પર્શતા,જીવને ઉજ્વળરાહ મળી જાય
.                        …………………..સંસ્કારના શીતળ સંગે.
સંતાનને સ્નેહ મળે માબાપનો,જ્યાં વંદન પ્રેમથી થાય
માબાપનોપ્રેમ પારખી લેતાં,સંતાનને હૈયે આનંદ થાય
શ્રધ્ધારાખી મહેનત કરતાં,મળેલ આશીર્વાદને સમજાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં,આ જીવન ઉજ્વળ થાય
.                        ……………………સંસ્કારના શીતળ સંગે.
સંતોનો સહવાસ મળે જીવને,જ્યાં ચરણોમાં વંદન થાય
પરમાત્માની કૃપાએ,મળેલ દેહનો જન્મ સફળ થઈ જાય
અખંડઆનંદ અંતરમાં રહે,ને મળેલ જીવન પણ મહેંકાય
જલાસાંઇનાચરણે સ્પર્શતા,જીવને ભક્તિમાર્ગ મળી જાય
.                         …………………..સંસ્કારના શીતળ સંગે.

================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment