January 2nd 2021

સંગાથ સમયનો

.         .સંગાથ સમયનો         
તાઃ૨/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ      

અવનીપરના આગમનનો સંગાથ,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને સંબંધ માબાપથી,જે જીવને જન્મથીજ દેહ આપી જાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને જન્મ મળતા બાળપણ મળે,સમયસંગે ચાલતા જુવાન થવાય
કર્મનોસંબંધ દેહને જીવનમાં,જે કુટુંબના સંબંધે સમયસમયે થતોજાય 
પરમાત્માની પવિત્રકર્મની પ્રેરણાએ,શ્રધ્ધાભક્તિએ દેહથી પુંજન થાય
મળેલદેહને પવિત્રરાહ મળે કૃપાએ,જેને જીવનમાં પાવનરાહ કહેવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
ભણતરની રાહ મળે બાળપણથી,જે મળેલદેહથી સમયે પકડીને ચલાય
આજને સમજીને ચાલતા દેહને રાહ મળે,જે જીવને સમજણ આપીજાય
મારુતારુ એ કળીયુગની કેડી,જે દેહને ક્યારેક ખોટીરાહે પણ લઈજાય
અપેક્ષાનીકેડીથી દુર રહીને ચાલતા,પવિત્ર સમયની પાવનરાહ મેળવાય
.....એ પવિત્રલીલા પરમાત્માની,મળેલ દેહને સમયનો સંગાથ આપી જાય.
***********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment