January 18th 2021

. .હરહર ભોલેનાથ
તાઃ૧૮/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે હરહર ભોલેનાથથીય ઓળખાય
માતા પાર્વતીના પ્રેમાળપતિ,ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
ભક્તિથી પાવનરાહ મળે દેહને,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
હરહર મહાદેહ સંગે ભોલેનાથ પણ કહેવાય,એ શ્રધ્ધાભક્તિ કહેવાય
પવિત્રપુત્ર શ્રીગણપતિ અને કાર્તિકછે,જે પવિત્ર જીવથીજ ઓળખાય
ગજાનંદ ગણપતિને ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા પ્રેમથી કરાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
શંકર ભગવાનને ભોલેનાથ ભંડારી કહેતા,જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાથી પુંજન કરતા,શંકર ભગવાન સંગે પાર્વતીમાતાની કૃપા થાય
ભારતની ધરતીને પવિત્રકરી,જે ગંગા નદીને હિમાલયથી વહાવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાન સંગે માતા પાર્વતીના સંતાન પવિત્ર થાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
********************************************************
No comments yet.