January 20th 2021

મોહ માયા મળી

About - Shri Vitthalbhai (Mahapatra)

.            મોહ માયા મળી             

તાઃ૨૦/૧/૨૦૨૧              પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
જન્મનો સંબંધ મળે માનવદેહને,ગત જન્મના થયેલકર્મથી મેળવાય
અવનીપરનુ આગમન વિદાય,એજ કુદરતની લીલા જન્મથી દેખાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
આજકાલને નાકોઇ દેહ આંબી શકે,કે નાકોઇથી જગતમાં છટકાય 
પરમાત્માની આ લીલા દુનીયામાં,જીવનુ આવનજાવન કર્મથી થાય
કળીયુગની અજબશક્તિ છે જગતમાં,જે સમયે મોહમાયા મળીજાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,એજ અજબલીલા પ્રભુની કહેવાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જયાં મોહમાયાથી દુર રહેવાય
નાકોઈ આશા કે અભિમાનરહે જીવનમા,જ્યાં શ્રધ્ધાભક્તિથી જીવાય
નિર્મળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,જીવ પર પાવનકૃપા થાય
કળીયુગની કોઇ અસર ના અડૅ જીવને,જે જન્મમરણથી દુર લઈ જાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment