January 22nd 2021

પવિત્ર દર્શન

રાશિફળ ૨૩ ઓગસ્ટ : આજે સુર્યદેવ બનાવશે રાજયોગ, ૬ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, ચમકી જશે કિસ્મત - Adhuri Lagani

.          .પવિત્ર દર્શન                   

તાઃ૨૨/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરના દેહને સવારસાંજ મળે,જે પવિત્ર સુર્યદેવથી મળી જાય
જીવનમાં સવાર અને સાંજ મળે,જે તેમના પવિત્ર દર્શનથી મેળવાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
કુદરતની કૃપાને નાકોઇ રોકી શકે,પણ શ્રધ્ધાથી પ્રેમથી વંદન થાય
પાવનકૃપા મળે શ્રધ્ધાથી સુર્યદેવની,જ્યાં પ્રભાતે તેમને અર્ચના કરાય
સવારના સુર્યદેવના પ્રકાશના સ્નાનથી,મળેલ દેહને શક્તિમળી જાય
અવનીના આગમનથી તેમનીકૃપા,અબજો વર્ષોથી દેહ પર થઈ જાય 
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
માનવ દેહને ભક્તિથી પાવનરાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય
સુર્યદેવના પવિત્રદર્શન સવારસાંજે થાય,એજ દેહને કર્મ કરાવી જાય
જીવનેસંબંધ કર્મનો જેજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
પવિત્રકૃપા સુર્યદેવની મળેદેહને,જે શ્રધ્ધાથી વંદનકરતા કૃપા કરી જાય
....એ અજબ શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે જગતમાં જીવાડી જાય.
*********************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment