પવિત્ર દેહ
## ##
. .પવિત્ર દેહ તાઃ૨૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય માનવદેહનો જન્મ લઈને પધાર્યા,જે પવિત્ર નામથી ઓળખાય ...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય. સમયની સાથે ચાલતા માનવદેહને,પાવનકૃપા કરવા આવી જાય માબાપ એજ પવિત્રદેહ છે દુનીયામાં,જે જીવને દેહ આપી જાય કૃપા કરવા અનેકદેહ લીધા પરમાત્માએ,જે પવિત્રભક્તિ દઈજાય મળેલ માનવ દેહના જીવને પવિત્રરાહથી,અંતે મુક્તિ મળી જાય ...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય. જીવને મળેલદેહ એગતજન્મે કરેલકર્મથી,આવનજાવન મળી જાય પાવનકૃપા મળે મળેલદેહને,જે પવિત્ર આશિર્વાદથી મળતા થાય પરમાત્માના લીધેલ દેહને,શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરાય મળે જીવના દેહને પાવનકૃપા,જે દેહના સત્કર્મના સાથથી દેખાય ...અવનીપર પવિત્રદેહ લઈ પધાર્યા,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય. **********************************************************