જલ્દી દોડજે
. .જલ્દી દોડજે તાઃ૨૮/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવને કર્મની રાહ આપી જાય સમયનીસાથે ચાલતા રહેવા મળેલદેહથી,નિખાલસ જીવન મેળવાય ....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય. પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવના દેહથી સમજાતી જાય માનવદેહ એજ કૃપા જીવ પર,જે પાવનરાહે જીવન જીવડાવી જાય અનેકદેહનો સંબંધ અવનીપર,એ પશુપક્ષીમાનવદેહથી મળતો જાય પવિત્રકૃપા મેળવવા ભક્તિરાહ પર,જલ્દી દોડજે મુક્તિરાહ મેળવાય ....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય. જીવને દેહથી થયેલ કર્મનો સ્પર્શ,એ જીવને આવનજાવન આપી જાય માનવદેહ એ કર્મનો સંબંધ જીવનમાં,ના કોઇજ જીવથી કદી છટકાય માગણી મોહને પારખી જીવન જીવતા,આફતથી જલ્દી દોડીને છોડાય અદભુતલીલા અવનીપર પ્રભુની,જગતમાં ના કોઇ જીવથી કદી છ્ટકાય ....અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મે થયેલ કર્મથીજ મળી જાય. ###########################################################