April 18th 2021

જીવન જ્યોત

######

.           .જીવન જ્યોત

તાઃ૧૮/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી પણ રહી જાય 
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
હિંદુધર્મમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,એ જીવનને પવિત્ર કરીજાય
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા ભક્તને,પાવનરાહે કર્મ કરાવી જાય
એજકૃપા પરમાત્માની જીવપર,જે અવનીપર માનવદેહ આપી જાય
જીવને મળેલ દેહને કર્મનોસંબંધ,જ્યાં જીવનમાં સમયસંગે કર્મ કરાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
પાવનરાહ મળે મળેલદેહના જીવનમાં,જ્યાં પ્રભુની પુંજા ઘરમાં થાય
ઉજવળ જીવનની જ્યોત પ્રગટતા,માનવદેહનુ સન્માન કૃપાએ કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળતા દેહને,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
એજ પાવનરાહે જીવન જીવતા,પવિત્ર કર્મથી જીવને મુક્તિ મળીજાય
...એ પવિત્રકૃપા મળે પ્રભુની,જે માનવ જીવનની જ્યોત પ્રગટાવી જાય.
=========================================================