April 1st 2021

ગજાનંદ શ્રીગણેશ

આ રીતે કરો ગણેશજીની સંધ્યા આરતી - Mantavya News Gujarati | DailyHunt

.           ગજાનંદ શ્રી ગણેશ

તાઃ૧/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનમાં મનોકામનાનો સંગાથ મળે,જેને પુર્ણ કરવા શ્રધ્ધા રખાય
માનવજીવનમાં પ્રેરણા મેળવવા,ગજાનંદ શ્રી ગણેશનીજ પુંજા કરાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય. 
અવનીપરનુ આગમન જીવના કર્મથી મળે,જે સમયસંગે ચલાવી જાય
માનવદેહ એજ પરમામાની કૃપા,જીવના દેહને સમજણ આપી જાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તિ કરતા જીવનમાં,પાવનરાહની કેડી મળી જાય
વિઘ્નવિનાયક શ્રીગણેશની કૃપા,જે જીવનમાં પરમશાંંતિ આપી જાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
અવનીપર અનેકદેહથી જીવનુઆગમન,જે દેહના જન્મમરણથી દેખાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે મળેલ દેહને ભક્તિસંગે મળી જાય
જન્મ અને મરણ એ જીવના દેહને મળે,જગતમાં ના કોઇથી છટકાય
સમયસમજીને ચાલવા જીવનમાં,પાર્વતીમાતાના સંતાનનો પ્રેમ મેળવાય
....પાવનરાહે નિર્મળભાવનાથી ભક્તિ કરતા,ભક્તો પર પવિત્રકૃપા થઈ જાય.
=============================================================
 

April 1st 2021

પ્રગટે ભક્તિ જ્યોત

*** જાણો જલારામ બાપાના એવા ચમત્કાર વિશે કે જેને જોઈને વિદેશીઓ પણ હલી ગયાં હતાં…… | Fearless Voice***

.          .પ્રગટે ભક્તિ જ્યોત 

તાઃ૧/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      
સંત જલારામે આંગળી ચીંધી જીવનમાં,જે જીવને ભક્તિ જ્યોત આપી જાય 
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે સમયેજ પવિત્રકર્મને કરાવી જાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
માબાપના પ્રેમથી ઠક્કર કુળમાં જન્મ લીધો,જે વિરપુરના જલારામ કહેવાય
પવિત્રરાહ મળી જીવનમાં પરમાત્મા કૃપાએ,એ મળેલદેહના વર્તનથી દેખાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવનકર્મની ભક્તિ જ્યોત પ્રગટી જાય
પરમકૃપા પ્રભુની થતા પત્નિ વિરબાઈ મળ્યા,જે પતિની શ્રધ્ધામાંજ જોડાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
અવનીપર જીવના આગમને દેહને કર્મ મળી જાય,જે જન્મોજન્મથી મેળવાય
પાવનકૃપા થાય પરમાત્માની મળેલદેહપર,જે જલારામબાપાના કર્મથી દેખાય
માનવદેહને નિર્મળ ભાવનાથી મદદ કરતા,પડોશીને એ ઇર્શાથી દેખાઈ જાય
જલારામના જીવનમાં પરમાત્માની કૃપા,જે પત્નિ વિરબાઈના વર્તનથી દેખાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
=====================================================================
April 1st 2021

પરમાત્માની કૃપા

આખા દિવસમા એકવખત જરૂર થી બોલવા જોઈએ સાંઇબાબા ના આ ૧૧ દિવ્ય વચનો, પૂરી થશે સંતાન પ્રાપ્તિ ની મનોકામના તેમજ દૂર થશે તમામ બાધાઓ... - મોજીલું ...

.           .પરમાત્માની કૃપા

તાઃ૧/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને પવિત્રપ્રેમથી પ્રેરણા આપી જાય
પવિત્રદેહ ધરતીપર લઈ શેરડીગામમાં આવી જઈ,જીવન પાવન કરી જીવી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
પવિત્રવ્હાલા સાંઇબાબા પરમકૃપાથી,પરમાત્મા માનવદેહ લઈ શેરડી આવી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈની કૃપા થઈ,જે મળેલદેહની માનવતાને પ્રસરાવી જાય
મળેદેહ જીવને જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય,નાકોઇજ જીવથી કદી છટકાય
અવનીપરના આગમનને સંબંધછે ધર્મનો,જે અનેકધર્મના પવિત્રદેવોની પુંજા કરાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
હિંદુધર્મમાં અનેક સ્વરૂપથી પરમાત્મા પધાર્યા,જે અનેક મંદીરોમાં પુંજાથી સમજાય
પવિત્રધર્મ મુસ્લીમછે જગતમાં,ના પરમાત્મા અલ્લાહનો કોઇજ ફોટો જગતમાં હોય
સાંઇબાબાનો લીધેલદેહ એપવિત્રકૃપા ધરતીપર,જે માનવદેહની મહેંક પ્રસરાવી જાય
મને પવિત્રકૃપા કરવા પધાર્યા આંગણે,જે સમયે મને સાંઇબાબાનો પ્રેમ મળી જાય
....પાવનધર્મની આંગળી ચીંધી માનવદેહને,ના હિંદુમુસ્લીમ ધર્મથી દુર રહી જીવન જીવાય.
########################################################################