April 1st 2021

પ્રગટે ભક્તિ જ્યોત

*** જાણો જલારામ બાપાના એવા ચમત્કાર વિશે કે જેને જોઈને વિદેશીઓ પણ હલી ગયાં હતાં…… | Fearless Voice***

.          .પ્રગટે ભક્તિ જ્યોત 

તાઃ૧/૪/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      
સંત જલારામે આંગળી ચીંધી જીવનમાં,જે જીવને ભક્તિ જ્યોત આપી જાય 
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે સમયેજ પવિત્રકર્મને કરાવી જાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
માબાપના પ્રેમથી ઠક્કર કુળમાં જન્મ લીધો,જે વિરપુરના જલારામ કહેવાય
પવિત્રરાહ મળી જીવનમાં પરમાત્મા કૃપાએ,એ મળેલદેહના વર્તનથી દેખાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,પાવનકર્મની ભક્તિ જ્યોત પ્રગટી જાય
પરમકૃપા પ્રભુની થતા પત્નિ વિરબાઈ મળ્યા,જે પતિની શ્રધ્ધામાંજ જોડાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
અવનીપર જીવના આગમને દેહને કર્મ મળી જાય,જે જન્મોજન્મથી મેળવાય
પાવનકૃપા થાય પરમાત્માની મળેલદેહપર,જે જલારામબાપાના કર્મથી દેખાય
માનવદેહને નિર્મળ ભાવનાથી મદદ કરતા,પડોશીને એ ઇર્શાથી દેખાઈ જાય
જલારામના જીવનમાં પરમાત્માની કૃપા,જે પત્નિ વિરબાઈના વર્તનથી દેખાય
....એ પવિત્રવ્હાલા સંત વિરપુરમાં થયા,જે અન્નદાનથી પરમાત્માની કૃપા મેળવી જાય.
=====================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment