April 4th 2021

લાગણી અને માગણી

***કર્મફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરનાર સંન્યાસી છે - Sandesh***

.         .લાગણી અને માગણી

તાઃ૪/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
સમયને સમજી ચાલતા જીવનમાં,ના કોઇ લાગણી કે માગણી શોધાય
ધરતીપરના આગમંથી માનવદેહને,ગત જન્મના દેહના કર્મથી મેળવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
માનવદેહને સમયને સમજીને ચાલતા,જીવનમાં ના માગણી કોઇ રખાય
મળે સાથ જીવનમાં જે થયેલ કર્મથી,ના કોઇજ માગણી પણ રહી જાય 
અવનીપરના આગમનને સમયનોસંબંધ,જે મળેલદેહને સત્કર્મથી મળીજાય
કુદરતની આલીલા જગતમાં મળેલદેહપર,એ પવિત્રકર્મથી પાવનકરી જાય 
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે દેહને જન્મમરણથીજ સ્પર્શી જાય
મળેલ માનવદેહના જીવનમાં, પ્રભુનીકૃપા મેળવવા ધુપદીપથી પુંજન કરાય
સમય પ્રમાણે ચાલતા બાળપણ,જુવાની અને અંતે ઘડપણ દેહને મળીજાય
ના કોઇજ માગણી જીવનમાં રખાય,સંગે મળેલદેહથીજ લાગણીને સચવાય
....પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જીવનમાં ના કોઇજ અપેક્ષા કદી રખાય.
################################################################
April 4th 2021

માતા દુર્ગાની કૃપા

<<ધાર્યા દરેક કામ થશે પૂર્ણ આ નવરાત્રીમાં કરો માતાની આ ખાસ રીતે પૂજા, જાણીલો ફટાફટ – Dharmik Lekh>>

.           .માતા દુર્ગાની કૃપા

તાઃ૪/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ માતા છે અવનીપર,જે પરમકૃપાળુ માતા દુર્ગાથી ઓળખાય
સમયસંગે ચાલતાજ હિંદુધર્મમાં,માતાની પાવનકૃપાએ પવિત્રજીવન જીવાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
મળે માતાની કૃપા ભક્તને જીવનમાં,જે નવરાત્રીમાં નવ સ્વરૂપને પુંજાય
પવિત્ર શક્તિશાળી માતા હિંદુધર્મમાં,એ મળેલદેહપર માતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપ કરી વંદન કરતા,પુજ્ય માતાનો પ્રેમ મળીજાય
મળેલદેહને થઈ રહેલા કર્મનો સંબંધ,જે જીવને આવનજાવનથી સમજાય
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
અવનીપર અનેકદેહથી ભક્તોને પ્રેરણા કરે,જે માતાની પુંજા કરાવી જાય
મળે માતાનોપ્રેમ શ્રધ્ધારાખીને પુંજન કરતા,દેહપર કૃપાનો અનુભવ થાય 
પવિત્ર પ્રસંગ નવરાત્રીનો હિંદુધર્મમાં,જેમાં માતાના નવસ્વરૂપનેજ પુંજાય
મળેલ માતાના દેહથી ભારતદેશમાં,રાજા મહીસાસુરને માતાદુર્ગા મારીજાય 
....પુંજન કરતા માતાને વંદન કરી,ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજન કરાય.
###############################################################