April 25th 2021
. .પ્રેમ મળે આવીને
તાઃ૨૫/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભારતના પવિત્ર દુર્ગામાતા કહેવાય
અભિમાનને પકડી ચાલતા દુષ્કર્મીને,માતા સમયસંગે ચાલતામારીજાય
....એ રાક્ષસ મહીસાશુર હતો,જે ખોટા માર્ગે મળેલદેહને દુશ્માર્ગે લઈ જાય.
માનવદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,જે જીવને યુગથી સ્પર્શીજાય
જન્મમરણનો સંબંધ જીવનો,એ અવનીપર આગમનવિદાયથી દેખાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
સમયનો અનુભવ જગતમાં જીવને,જે મળેલ દેહથી કર્મ કરાવી જાય
....યુગનો સંબંધ મળેલ દેહને જીવનમાં,જે થઈ રહેલ કર્મથી સમજાઈ જાય.
પરમકૃપાળુ માતા દુર્ગા ભારતમાં જન્મ્યા,જેમની પવિત્રરાહે પુંજા થાય
પ્રેમ મળ્યો ભક્તોને માતાનો,જે નવરાત્રીમાંજ નવસ્વરૂપે પુંજાઈ જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો હિંદુધર્મમાં,માતાનો પ્રેમ આવીને મળીજાય
મળેલ જીવના દેહને ના અપેક્ષા અડે,સંગે ના કોઇજ માગણી રખાય
....એજ માતાદુર્ગા પવિત્રપ્રેમ આપવા,ભક્તોને આંગણે આવી કૃપા કરીજાય.
############################################################