April 27th 2021

કષ્ટભંજન હનુમાન

###Salangpur Hanumanji on Twitter: "નવરાત્રિ દરમિયાન શનિવારે શ્રી હનુમાનજી મહારાજને વિશેષ શણગાર Date 24-10-2020 happy navratri आप सभी को नवरात्री के पावन पर्व की हार्दिक ...###.

.         .કષ્ટભંજન હનુમાન
તાઃ૨૭/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર સંતાન એમાતા અંજનીના,સંગે પિતા પવનદેવ પણ કહેવાય
અજબ શક્તિશાળી દેહ હતો,જે શ્રી રામને અનેક મદદ કરી જાય
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
પિતા પવનદેવની કૃપાએ હનુમાન કહેવાય,સંગે બજરંગબલી કહેવાય
પ્રભુએ અવતારલીધો શ્રીરામથી અયોધ્યામાં,જેમને પરમાત્માથી પુંજાય
પવિત્રપત્ની થયા સીતાજી જીવનમાં,જે રામની જીવનસગીની કહેવાય
સમયસંગે શ્રીરામસીતાને જંગલમાં જતા,ભાઈ લક્ષ્મણ સાથ આવીજાય
શ્રી હનુમાન એ પવિત્ર ભક્ત થયા,જે સંજીવનીથી ભાઈને બચાવીજાય
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
નિર્મળભાવનાથી શ્રી રામને મદદ કરતા,આકાશમાં ઉડીને આવી જાય
લંકાના રાજારાવણને કુબુધ્ધીનો  સંગ મળ્યો,જે રામની પત્નીને લઇજાય
હનુમાનજીને સિતાને શોધવા મોકલ્યા,એ લંકાના જંગલમાં શોધી જાય
પરમ અભિમાની રાજારાવણનુ,મહાવીર હનુમાન લંકામાં દહન કરીજાય  
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++